હિન્દ ન્યુઝ, ભાવનગર
આજરોજ અકવાડા કેન્દ્ર વતી શાળા ના સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં શાળા ના એસ.એમ.સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
વૃક્ષારોપણ કાર્યક્રમ માં મિત્રો પણ જોડાયા હતા. જેમાં અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા અજય ગોહિલ મુકેશભાઈ દિહોરા તેમજ અન્ય સભ્યો પણ જોડાયા હતા.
રિપોર્ટર : શૈલેષ બામભાણી, ભાવનગર