દિયોદર ખાતે આકાર પામતા સંસ્કાર ભવનની જગ્યામાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર

      દિયોદર ખાતે આજરોજ દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા વૃક્ષા રોપણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજ ઘણો મોટો પ્રભાવ ધરાવે છે અને દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ માં ઉત્સાહી યુવાનોના અથાગ પ્રયાસો થકી એક મોટુ સમાજ હિત નું કાર્ય થવા જઈ રહ્યું છે. જેમાં રાવણા રાજપૂત સમાજના નાનેથી માંડી મોટા વડીલો નો પણ ખુબજ સહકાર મળવા પામ્યો છે અને ઉત્તર ગુજરાતમાં ના હોય તેવી સુવિધાઓથી સજ્જ રાવણા રાજપૂત સમાજના નવ યુવાનો ને ઘણી તકો મળી રહે તેવી સુવિધાઓ સાથે દિયોદર શિહોરી રોડ પર સંસ્કાર ભવન આકાર પામી રહ્યું છે. જે થોડા સમયમાં ત્યાર થઈ જશે અને બીજી સમાજો ની હરોળ માં રાવણા રાજપૂત સમાજ ખભેખભો મિલાવી શકે તેવો દાખલો બેસે તેવું કામ સમાજ કરી રહી છે ત્યારે સમાજના તમામ ને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવે છે ત્યારે જે જગ્યા પર આજે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે આજે સમાજના વડીલો ડો.સોનાજી ચૌહાણ કનુભાઈ પઢીયાર મહામંત્રી અમરતભાઈ ભાટી રાયસિંગજી રાઠોડ રમેશભાઈ રાઠોડ.યુવક મંડળ ના પ્રમુખ રતનસિંહભાઈ ચૌહાણ યુવક મંડળ ના મહામંત્રી પરાગભાઈ મકવાણા હસુભાઈ પઢીયાર ડે. સરપંચ દાસરથભાઈ સોઢા લાલભાઈ મકવાણા જગદીશ રાઠોડ જયસિંહ પઢીયાર ભાણાજી પરમાર વગેરે યુવાનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment