હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા ના સાયણ- દેલાડ નજીક આવેલ શ્રી સાયણ વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન રક્ષા હોસ્પિટલ (દેલાડ) સાયણ માં સને 2009 થી આંખ રોગ નિદાન-સારવાર કેમ્પનું દર માસની પહેલી તારીખે આયોજન કરવામાં આવે છે. જેમાં કેમ્પ સંસ્થાનાં ડિરેક્ટર દર્શનભાઈ અમૃતલાલ નાયક, ગામ.સાંધીયેર નાં સહયોગથી યોજાયો હતો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોક્ટર્સ તથા સહકર્મચારીઓ એ સેવા આપી હતી.
સદર કેમ્પમાં 133 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. તેમાં 40 દર્દીઓના ઓપરેશન કરવાના નક્કી થયા હતા અને સાથે રાહત દરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નું હસ્તે દીપ સંસ્થાનાં ડિરેક્ટર દર્શનભાઈ અમૃતલાલ નાયક હસ્તે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાયણ સુગર મિલન ચેરમેન રાકેશભાઈ પટેલ, પીયૂષભાઈ પટેલ (પીંજરત) તથા સાયણ સુગરમિલના અન્ય ડિરેક્ટરો અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત