દિયોદર મામલતદાર વય નિવૃત્તિ થતા કે.કે. ઠાકોર નો વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

    દિયોદર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા કે. કે. ઠાકોર નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો વય નિવૃત્તિ સમારોમાં દિયોદર મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીને ફૂલો અને ફુગ્ગાઓથી ભવ્ય શણગારવામાં આવ્યું હતું. સાથે તેમનો વિદાય ભવ્ય સમારોહ યોજાયો હતો. તેઓ છેલ્લા એક દોઢ વર્ષ દિયોદર મામલતદાર કચેરી ખાતે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ 58 વર્ષ ની નોકરી પુરી કરી તારીખ 30- 6- 2021 ના રોજ વય નિવૃત્ત થયા તેમનો મામલતદાર કચેરી ના ઉત્સાહી સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો.


    આ પ્રસંગે દિયોદર નાયબ કલેક્ટર એન.એમ . દેસાઈ, થરાદ મામલતદાર દરજી તાલુકા વિકાસ અધિકારી એન.સી.ઠાકોર, ગિરિરાજસિંહ વાઘેલા તેમજ ભારત વિકાસ પરિસદ ના તમામ સભ્યો તેમજ એમ.ડી.એમ ના તાલુકાના તમામ સભ્યો, પુરવઠા વિભાગ કંટોલ એસોસિએશન ના તમામ દુકાનદારો, મામલતદાર કચેરીનો સ્ટાફ, પ્રાંત કચેરીનો સ્ટાફ હાજર રહી ઉત્સાહ પૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં પ્રથમ વાર વરરાજાની જેમ વિદાય ની ગાડી શણગારી વિદાય આપાઈ હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment