દિયોદર તાલુકાના સરદારપુરા(ર) ગામના યુવાને અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જમ્પલાવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર

     દિયોદર તાલુકાના સરદાપુરા (ર) ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કેનાલ પાસે પોતાનું એકટીવા g.j.08 B. L. 2966 મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા જ્યાં પરિવાર ને જાણ થતાં કોકરેંજ ના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા જ્યાં મોબાઇલ બંધ આવતા પરિવાર દ્વારા યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું તર્ક વિતર્કો સર્જાયા છે.તો ઘટના સ્થળે થરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

    મહત્વનું છે કે દિયોદર ના સરદારપુરા( ર) ના ભીખાભાઈ દેવાભાઇ દેસાઇ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવતા પરિવાર ના પુત્ર નું કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ભીખાભાઈ દેવાભાઇ દેસાઇ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ક્લાર્ક તરીકે ૪ વર્ષથી ફરજ બજાવતા હતા. હાલ સ્થાનિક તરવૈયા દ્વારા ભારે મથામણ બાદ પણ લાશ હાથ લાગી ન હતી . ત્યારે થરાદ ના સુલતાન મીર, NDRF ની ટીમ દ્વારા ભારે શોધ ખોળ હાથ ધરાઈ રહી છે. ત્યારે આ લખાય છે ત્યાં સુધી લાશનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment