લાખણી તાલુકાના મડાલ પી એચ સી મા મરણ વ્યકિત ના નામે વેકસીન નો ડોઝ અપાઈ ગયો

હિન્દ ન્યૂઝ, લાખણી

  થરાદ તાલુકા ના મડાલ પી એચ સી મા એક મરણ વ્યકિત ના નામે વેકસીન નો ડોઝ અપાયી અને મેસેજ સરપંચ ના નામે આવ્યો. દેશભર મા કોરોના ની મહામારી થી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા દરેક વ્યક્તિને વેકસીન ના ડોઝ આપવા મા આવી રહયા છે પરંતુ ઘણી વખત આરોગ્ય કર્મચારીઓ દ્રારા છબરડા વળવામા આવે છે તેવો કિસ્સો લાખણી તાલુકા ના મડાલ ગામે રહેતા રાયચદ કાલાભાઈ વાલ્મિકી જેનું એક માસ પહેલા મોત થયું છે, જેને કોરાના ની રસી નો બીજો ડોઝ તરીકે 9 જૂન 2021 ના રોજ અપાઈ ગયા નો મેસેજ ગામ ના સરપંચ મકવાણા હેમીબેન શાંતિજી ના મોબાઈલ નંબર 8980005611 પર ડોઝ સક્સેસ થયા નો મેસેજ આવતા સરપંચ પણ આશ્ચર્યમા પડી ગયા કે જે વ્યક્તિ મહિના પહેલા અવસાન થયેલ છે તેને રસી કેવી રીતે અપાઈ ગઈ ? આવો છબરડો વળતા લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment