વેરાવળના ભીડીયામાં નવયુવાનો દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયુ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

વેરાવળના ભીડીયામાં દરિયા કિનારાના વિસ્તારમાં મત્સ્ય કિંગ યુવાનોની ટીમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. યુવાનોની ટીમ દ્રારા દરીયા કિનારાથી પ્લાસ્ટીક અને દોરડા સહિત ૫૦૦ કિ.ગ્રાથી વધુ કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ યુવાનોની ટીમ દ્રારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનમાં વધુમા વધુ લોકો જોડાઈ ઝડપથી દરિયા કિનારાના વિસ્તારને સ્વચ્છ કરવા યુવાનોએ કાર્ય હાથ ધર્યું છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment