વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેવગઢ બારીયા વનવિભાગ દ્વારા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા 

     ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ ના નિમિત્તે દેવગઢ બારીયા વનવિભાગ ના અધિકારીઓ ધ્વારા ઉજવણી કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા ની પારાઅંત કચેરીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દેવગઢ બારિયા નગર પાલિકા ખાતે તુલીસ ના છોડ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મા દેવગઢ બારિયા મીનલબેન જાની, દેવગઢ બારીયા મામલતદાર ડામોર, દેવગઢ બારીયા રાજેશ પુરોહિત તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા ના પ્રમુખ ડૉ.ચારમી સોની તેમજ વનવિભાગ ના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપવા કાર્યક્રમ યોજ્યો હતો.

વનવિભાગ ના અધિકારી ઓ દ્વારા વધારે મા વધારે વૃક્ષો ઉછેર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીયા 

Related posts

Leave a Comment