તળાજા તાલુકાના ખંઢેરા, મણાર, ભવાનીપુરા, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

    કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલું વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારના ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર, ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર, નાની બાબરીયાત ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૩૫.૦૦ મીટર, ઈશોરા ગામ પાસે કેરી નદી પર ઈશોરા-૧ આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૯.૫૦ મીટર, આમળા ગામ પાસે લોકલ નદી પર ગોપનાથ બંધારા યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, બેલા ગામ પાસે નાળીયેરી વોકળા નદી પર બેલા આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૩૪.૨૫ મીટર, જસપરા ગામ પાસે જસપરી નદી પર પ્રગતિ હેઠળની જસપરા બંધારા યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૫.૦૦ મીટર અને અલંગ ગામ પાસે મણારી નદી પર પ્રગતિ હેઠળની અલંગ ચેકડેમ યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે.

આથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમા ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃતિ કરવી નહી તેમજ ઢોર-ઢાખરને પણ આ વિસ્તારથી દુર રાખવા તથા ખંઢેરા બંધારા યોજનાની હેઠવાસના ખંઢેરા ગામ, મણાર આર.ટી. યોજનાની હેઠવાસના મણાર, અલંગ ગામ, ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસના ખદરપર, મીઠીવીરડી, સમઢીયાળા પુન:પ્રભારણ યોજનાની હેઠવાસના નેશીયા, હબુકવાડ, નાની બાબરીયાત આર.ટી. યોજનાની હેઠવાસના નાના બાબરીયાત, હબુકવડ, બપાડા આર.ટી. યોજનાની હેઠવાસના બપાડા, ધારડી, ઈશોરા-૧ આર.ટી. યોજનાની હેઠવાસના ઈશોરા, દેવલીગામ, ગોપનાથ બંધારા યોજનાની હેઠવાસના આમળા, ખંઢેરાગામ, બેલા આર.ટી યોજનાની હેઠવાસના બેલા, બાબરીયાત, જસપરા બંધારા યોજનાની હેઠવાસના જસપરા, માંડવા, સોસીયા, અલંગ ગામ તથા અલંગ ચેકડેમ યોજનાની હેઠવાસ તેમજ ઉપરવાસના અલંગ, સોસીયા, મણાર ગામના લોકો તેમજ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં કામ મજૂરો નદીના પટની આજુબાજુ ઝૂંપડપટ્ટી બનવીને રહે છે તેઓને ભારે પૂર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment