દિયોદર બજાર માં શાકભાજી ની લારી વાળાઓ ના કોરોના ટેસ્ટિંગ કરાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દેશભરમાં કોરોના ની બીજી લહેર નબળી પડતી હોય તેમ લાગી રહી છે. કોરોના થી સંક્રમિત દર્દીઓ ની સંખ્યા હવે ઝડપથી ઓછી થવા પામી છે. ત્યારે આજરોજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા બજારની અંદર શાકભાજી નાના મોટા દુકાનદાર તેમજ લારીઓવાળા ઓના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી કોરોના ની વધતી જતી કડી ને આપણે તોડી શકીએ તેથી આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ ટેસ્ટિંગ કરવા માટે દરેક સાથે શાકભાજીનો ધંધો કરતા નાના-મોટા દુકાન દ્વારો એ ટેસ્ટ કરવામાં સહભાગી થયા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment