સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવાં પર પ્રતિબંઘ ફરમાવતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

મે-૨૦૨૧ અને જૂન-૨૦૨૧ના માસ દરમિયાન

તા. ૨૦/૦૫/૨૦૨૧ના રોજ દુર્ગાષ્ટમી, તા.૨૭/૦૫/૨૦૨૧ના રોજ નહેરૂ પુર્ણતિથિ, તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ સંકષ્ટ ચતુર્થી, તા.૦૨/૦૬/૨૦૨૧ના રોજ કાલ ભૈરવાષ્ટમી, તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ અપરા એકાદશી, તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ શ્રી શનિશ્વર જ્યંતિ તથા તા.૧૩/૦૬/૨૦૨૧ના રોજ મહારાણા પ્રતાપ જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારું બહાર પાડવું જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવાં પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

    આ જાહેરનામું તા.૧૭/૦૬/૨૦૨૧ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment