વેરાવળ ખાતે નિ:શુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

આજરોજ વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ તથા અર્બન હેલ્થ ઓફિસ દ્વારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વાડી માં નિ:શુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ. જેનું કિશોરભાઈ કુહાડા (ડાયરેક્ટર ગુજરાત મેરીટાઇમ બોર્ડ) તથા વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કોરોના વેક્સિન સાઈટ ચાલુ કરવામાં આવેલ.

જેમાં જિલ્લા કક્ષા ના ડો.બામરોટીયા, ડો. ચોધરી, ડો. ભારાવાલા, સાથે ધનસુખ ભાઈ કુહાડા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ) હાજર રહેલ. કિશોરભાઈ કુહાડા દ્વારા સૌ પ્રથમ કોરોના રસી નો પ્રથમ ડોઝ મુકાવી અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડેલ છે.

આ પ્રસંગે સમાજના આગેવાનો બાબુભાઈ જુંગી તથા બાબુભાઈ આગિયા તથા નારણભાઈ બંડિયા તથા બોટ એસોસિએશન તથા હોડી એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ના સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવા માં આવી હતી.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા,

Related posts

Leave a Comment