માંગરોળ તાલુકાના મોસાલી ગામે આવેલા અંબાજી માતાનાં મંદિરમાં કમળના ફૂલ ઉપર શંકરદાદા બિરાજમાન

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

              માંગરોળ તાલુકાના મોસાલી ગામે અંબાજી માતા નું મંદિર આવેલું છે. આ મંદિરના સચાલકો તરફથી કમળના ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા છે. આ મંદિરમાં અનેક મૂર્તિઓ આવેલી છે. તાજેતરમાં વધુ એક કમળનાં ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા છે. એમને જોવા માટે આસપાસનાં ગામોમાંથી અનેક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. સાથે જ મંદિરમાં મુકેલી અન્ય મૂર્તિઓનાં પણ દર્શન કરે છે. પરંતુ કમળ નાં ફૂલ ઉપર શંકરદાદા બિરાજમાન થી ભારે આકર્ષણ જોવા મળ્યું છે . 

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment