વિશ્વ હિન્દુ પરિષદના જામ ખંભાળિયા અધ્યક્ષ તરીકે જયસુખભાઇ મોદીની વરણી

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જીલ્લા ની જીલ્લા બેઠક તા.૧૩ માર્ચ ના રોજ ખંંભાળિયા ના જલારામ બાપા ના મંદિર નાં હોલ માં યોજાયેલ હતી. જેમાં ‘વિશ્વ હિન્દુ પરિષદ’ અને ‘બજરંગદળ’ ના અલગ અલગ આયામો ના હોદેદારો ની વરણી નવ નિયુક્ત જીલ્લા અધ્યક્ષ ઈશ્વરભાઈ જાખરીયા તથા વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, જામનગર વિભાગ ના સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લા કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ, જીલ્લા મંત્રી દિપકભાઈ જાની ની ઉપસ્થિતિ માં ‘વિશ્વ હિન્દુ પરિષદ’ ખંંભાળિયા ના શહેર અધ્યક્ષ તરીકે જયસુખભાઈ મોદી કે જેઓ શહેર ઉપાધ્યક્ષ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી ને ધ્યાનમાં લઈને સર્વાનુમતે શહેર અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment