એશિયાનો સૌથી મોટો રોપ-વે ગિરનાર રોપ-વે પ્રવાસીઓ માટે આજથી શરૂ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

તા.12 થી ગિરનાર રોપ-વે ફરી જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યું અને સિનિયર સીટીઝનને ટીકીટમાં 10% ડિસ્કાઉન્ટ અપાશે.

આગામી હોળી-ધુળેટીના તહેવારોને અનુસંધાને ગિરનાર રોપવે દ્વારા એક ખાસ ઓફર જાહેર થઈ છે. જે અંતર્ગત આગામી તા.15 થી 31 માર્ચ, 2021 સુધી સિનિયર સિટીઝનોને ગિરનાર રોપવેની સફર ટિકિટમાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા સિનિયર સિટીઝનોએ પોતાનું આધાર કાર્ડ રજૂ કરવું પડશે. આજરોજ તા.12 થી ગિરનાર રોપ-વે ફરી જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. ગિરનાર રોપ-વે ભવનાથની તળેટી થી અંબાજી મંદિર સુધી કાર્યરત છે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment