હિન્દ ન્યૂઝ, દિયોદર
લાખણી તાલુકા ના લવાણા ગામે આજરોજ રાજપૂત સમાજ પ્રેરિત યુવા કારકિર્દી માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજ ના યુવાનો ભાઈ બહેનો ને સ્પર્ધાત્મક પરીક્ષા માં કેવી રીતે સફળતા મેળવવી તે માટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. અવનીબા મોરી નાયબ નિયામક (પરીક્ષા) માં.ઉ બોર્ડ ગાંધીનગર, ડો.નરેન્દ્રસિંહ બી. ચાવડા જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા, વિક્રમસિંહ પરમાર, ડો.ઉદયસિંહ રાજપૂત પ્રમુખ માનવનિકેતન ટ્રસ્ટ લવાણા, ટી.પી.રાજપૂત, કરશનજી પઢાર, કે.પી.રાજપૂત, ડો.વખતસિંહ રાજપૂત, મુલજીજી ગોહિલ તેમજ રાજપૂત રામાભાઈ સરપંચ સમાજ ના અગ્રણી મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર