હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ના રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ આજે દિયોદર વોર્ડ નંબર 15 ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખાટલા બેઠક યોજી. આ વિસ્તાર ની સમસ્યા નું નિવારણ લાવવા ખાત્રરી આપી હતી, ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ વોર્ડ નંબર 15 ના સભ્ય મણિલાલ ઠાકોર અને ઠાકોર સમાજ ના યુવા આગેવાન મુકેશભાઈ ઠાકોર ની હાજરી માં લહેરીપુરા વિસ્તાર ના લોકો ની રજુઆત અને પ્રશ્નો ને સાંભળી રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી ખૂટતી સુવિધાઓ પુરી કરવાની ખાત્રરી આપી હતી. જેમાં લહેરીપુરા વિસ્તાર ના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર