દિયોદર મીની અંબાજી સણાદર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ નિમિતે શોભાયાત્રા યોજાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા માં મીની અંબાજી ગણાતું દિયોદર તાલુકા ના સણાદર ધામ ખાતે પરમ પૂજ્ય સંતશિરોમણી શ્રી ક્રિષ્નાનંદગિરી બાપુ ની સાત મી પુણ્યતિથિ તથા મૂર્તિપ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ નિમિતે હવન, ભવ્ય સંતવાણી તેમજ મહા આરતી તથા શોભાયાત્રા નું આયોજન કરાયું છે. જેમાં મહાસુદ 13 (તેરસ) ગુરુવાર તા.25-2-2021 ના ભવ્ય સંતવાણી કાર્યક્રમ મહા સુદ-14 (ચૌદસ) શુક્રવાર તા.26-2-2021 ના સવારે હવન, મહા આરતી તથા શોભાયાત્રા અને ભોજન પ્રસાદ કાર્યક્રમો યોજાશે. જેમાં સણાદર કરશન ભગત સેવા ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તો ને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment