થરાદ ધાનેરા રોડ પર અકસ્માત……………..

હિન્દ ન્યૂઝ, થરાદ

ગત રોજ ધાનેરા રોડ પર ખેંગારપુરા ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલક થરાદ ના શીવનગર ના જયપાલ શ્રવણભાઈ ગુમાભાઈ નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ગાડી ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. બાઈક ચાલક શ્રવણભાઈ ને 108 દ્વારા થરાદ રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : રજનીકાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment