હિન્દ ન્યૂઝ, ભાટીયા
ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભારતીય સંસ્કૃતીનું અણમોલ વિરાસત ગણાતું પવિત્ર શાસ્ત્રીય સંગીત (indian classical music) નવી પેઢી સુધી પહોંચે તે માટે પ્રચાર – પ્રસારનું કાર્ય કરવામાં આવે છે. અધ્યક્ષ તરીકે લોહાણા સમાજનું ગૌરવ એવા B.Ed. In Music) અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા ફરજ બજાવે છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા નિયમોને આધીન રહીને સરકાર માન્ય શાસ્ત્રીય સંગીત પ્રારંભીકથી આચાર્ય / પ્રવિણ સુધીનો ગાયન, સ્વરવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. કલાકારો, કલા સાધકો, સંગીત ક્લાસિસ, સંસ્થાઓ વગેરે સંગીત પરીક્ષા કેન્દ્રની માન્યતા માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા