હિન્દ ન્યૂઝ, ઘારી
આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામા આવનાર છે, ત્યારે ચણાની ખરીદીની વ્યવસ્થા સહકારી સંસ્થા ગુજકોમાસોલ અથવા નાફેડ જેવી સંસ્થાઓને આપવાની માંગણી કરવામા આવેલ છે. ગ્રામ્ય કક્ષાએથી ચણાનું વેચાણ કરવા આવતા ખેડૂતો માટે સાનુકુળ વ્યવસ્થા ગોઠવાઈ તેવા હેતુસર પુરવઠા નિગમની જગ્યાએ ખોડૂતોની સંસ્થા ગુજકોમાસોલ અથવા નાફેડ જેવી સંસ્થાઓને ખરીદીની વ્યવસ્થા આપવાની માંગણી ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણીએ ગુજરાત સરકારના કૃષી મંત્રી આર.સી.ફળદુ ને લેખીતમા કરેલ છે.
રિપોર્ટર : સંજય વાળા, ઘારી