થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રૂપ અને શહેર યુવા મોરચો દ્વારા બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજી. સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મ જયંતિ નિમિતે એપીએમસી ખાતેથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા બાઈક રેલી સ્વરૂપે હાઇવે ચાર રસ્તા થી રેફરલ ત્રણ રસ્તા મુખ્ય માર્ગે બાઇક રેલી પસાર થઈ ગૌરવ પંથ રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જેમાં યુવા મોરચાના પદાધિકારી યુવા અધ્યક્ષ નગાભાઈ એમ.પટેલ, થરાદ યુવા મહાસચિવ ચૌધરી ચેતનભાઈ ઘેસડા, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દાનાભાઈ માળી તેમજ સન્માનનીય સિનિયર આગેવાનો વડીલો પાર્ટી ના હોદેદારો, કારોબારી ના ભાજપા સહયોગી સંગઠન, થરાદ તાલુકા ના સદસ્યો, સભ્યો, આયામ ના કન્વીનરો, શક્તિપીઠ /શક્તિ કેન્દ્ગ ના પ્રમુખો, દરેક મોરચાના પદાધિકારીઓ અને પાર્ટીના સૌ સક્રિય કાર્યકરો પોતપોતાના બાઈક રેલીમાં જોડાઈ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment