સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મંત્રીએ કરી પ્રાર્થના

હિન્દ ન્યુઝ ,ગીર-સોમનાથ

તા. ૦૪, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૌના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મંત્રીએ સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોના વાયરસથી મુક્તિ મળે તેમજ કોરોના ચેપનો વ્યાપ વધુ ન ફેલાય તેવી પ્રાર્થના સાથે દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.


બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment