દિયોદર તાલુકા ના રાટીલા ગામે વિધુત બોર્ડ ના કર્મચારીઓ ની ઘોર બેદરકારી

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના રાંટીલા ગામ માં વિધુત બોર્ડ ના કર્મચારીઓ ની ઘોર બેદરકારી સામે આવી છે. રાટીલા ના ગોળીયા પ્રાથમિક સ્કૂલ ની વીજ લાઈન ચાલી છે. તેમા થાભાલાઓ ના વાયર ને અડીને મોટા મોટા વૃક્ષો અને વેદલાઓ નું સામ્રાજ્ય છે અને મોટી ઘટના પણ ઘટી શકે છે. અનેક વાર વિધુત બોર્ડ ના કર્મચારીઓ ને જાગૃત નાગરિક દ્વારા ફોન કર્યા છતાં પેટનું પાણી ય હલતું નથી અને જો મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર વિધુત બોર્ડ ના કર્મચારીઓની રહશે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment