રાજકોટ શહેર ના મધુરમ સોસાયટીમાં રહેતા યુવાને ઘરનું ગેરેજ નહીં કરી શકતા પૈસાના લીધે ડીપ્રેશનમાં આવી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અંકુર મેઈન રોડ પર આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા અને ગેરેજનું કામ કરતાં દિપકભાઈ લાલજીભાઈ ચાવડા ૨૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ના E.M.T તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પ્રાથમિક પૂછતાછમાં મૃતક અપરિણીત અને ગેરેજમાં કામ કરતો હતો. યુવાનને પોતાના ઘરનું ગેરેજ કરવાની ઝંખના હતી. પરંતુ પૈસાના લીધે ઘરનું ગેરેજ નહીં કરી શકતા ડીપ્રેશનમાં આવી ગયેલા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment