एक स्टेशन एक उत्पाद: भारत की स्थानीय विरासत रेलवे प्लेटफार्मों पर

हिन्द न्यूज़, दिल्ली       देश भर में रेलवे स्टेशनों पर आमूल-चूल बदलाव देखा जा रहा है। इस बदलाव के माध्‍यम से स्थानीय शिल्प कौशल को रोजमर्रा की यात्राओं के केंद्र में लाया जा रहा है। केंद्रीय बजट 2022-23 में पेश की गई भारतीय रेलवे की एक स्‍टेशन एक उत्‍पाद यानी वन स्टेशन वन प्रोडक्ट (ओएसओपी) पहल, समर्पित रिटेल स्‍पेस बनाकर स्वदेशी उत्पादों को बढ़ावा देती है जो स्थानीय कारीगरों और स्वयं सहायता समूहों (एसएचजी) को बाजार पहुंच प्रदान करते हैं, स्थायी आजीविका उत्पन्न करते हैं और क्षेत्रीय विविधता को…

Read More

ચોમાસા પુર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં વૃક્ષારોપણ માટેની એડવાન્સ તૈયારીઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત     ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ વર્કની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં એલાઈમેન્ટની કામગીરી ૩ બાય ૩ મીટરમાં ચુના દ્વારા નિશાન કરવામાં આવે છે. ત્યારબાદ ૩૦×૩૦ સે.મી.ના અંતરે લાઈનદોરીમાં ખાડાઓ ખોદવામાં આવે છે જેના કારણે જમીનને સુર્ય પ્રકાશ મળી રહે તેમજ આ ખાડાઓમાં પાદડાઓ જવાથી ખાતરમાં પરિવર્તીત થાય છે. આ ઉપરાંત જમીનમાં રહેતા બિનજરૂરી બેકટેરીયા પણ નાશ પામે…

Read More

‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ ’ અને ‘ નિર્મળ ગુજરાત 2.0′ યોજના તેમજ ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત બનેલ બાયોગેસ પ્લાન્ટ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં પણ પશુપાલકો હવે મોંઘા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી મુક્તિ મેળવી આત્મનિર્ભર બન્યા છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના સહયોગથી અત્યાર સુધી કુલ ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટની સુવિધા પુરી પાડવામાં આવી છે તેમજ ૧૭૪ પ્લાન્ટ માટેના કામો પ્રગતિ હેઠળ છે.  દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ જોઈએ તો, લીમખેડા તાલુકામાં ૨૩૦ ના લક્ષ્યાંકમાંથી ૨૦૦ જેટલા લાભાર્થીઓએ નેશનલ બાયોગેસનો લાભ મેળવ્યો છે, અને ૩૦ જેટલા પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. દેવગઢ બારિયા તાલુકામાં કુલ ૧૬૭ લાભાર્થીઓમાંથી ૮૧ જેટલા…

Read More

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ દાહોદની બેંકોનું રૂ. ૨૮૪૪.૩૪કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ વેળાએ કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે રામ નરેશ યાદવ બેન્ક ઓફ બરોડાના રીજનલ મેનેજર, રાહુલ બાગંર ડીડીએમ નાબાર્ડ, જીજ્ઞેશ પરમાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દાહોદ, વિપુલ વ્યાસ ડેપ્યુટી જનરલ મેનેજર પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક, કિરન પટેલ મેનેજર આઈ. સી. આઇ. સી. આઇ. બેન્ક, વિજય પાલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેન્ક, નિલેશ મેનેજર પંજાબ નેશનલ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા જિલ્લા વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

Read More

સમાન નાગરિક સંહિતા-UCC બિલ એટલે શું?

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       બિલ માત્ર કાનૂની સુધારાનો વિષય નથી, પરંતુ સામાજિક ન્યાય અને સમાનતાની દિશામાં એક દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે.       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ના નેતૃત્વમાં રજૂ થયેલ સમાન નાગરિક સંહિતા-UCC બિલ દ્વારા સમાજમાં સમાન અધિકાર, સ્ત્રી સશક્તિકરણ અને કાનૂની પારદર્શિતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન થયો છે. એક પત્ની-એક પતિ વ્રતથી લઈને છૂટાછેડા, ભરણપોષણ અને વારસાના સમાન હક્ક સુધી-આ બિલ સમાજમાં સમાનતા અને ન્યાયની નવી દિશા નિર્ધારિત કરે છે. આ બિલ સ્ત્રીઓના અધિકારોની સુરક્ષા અને ગેરમાનવીય પ્રથાઓના અંત માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ છે.…

Read More

કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વિશ્વ ક્ષય દિવસ- ૨૪ માર્ચને અનુસંધાને ટીબી મુક્ત પંચાયતોને સર્ટિફિકેટ સાથે ગાંધીજીની પ્રતિમા આપી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત – ૨૦૨૫ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબુદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ ૬ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર આપવામાં આવતી…

Read More

ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નિકાસ ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

હિન્દ ન્યુઝ, ભરૂચ    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત 2026; અંદાજિત 2 લાખ લોકોને રોજગારી આપતા ભારતના કેમિકલ હબ એવા ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય જોડાણની તક મળી છે.      અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ, સાયખા, વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વૈશ્વિક કક્ષાના કેમિકલ ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યો છે. ભરૂચમાં કુલ 1394 જેટલા ઉદ્યોગો, જેમાંથી 45% કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી આપી છે. ભરૂચમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હવા પ્રદૂષણ નિયંત્રણ મશીનરી અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ અમલમાં છે…

Read More

દાહોદમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે ૧ દિવસીય વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લામાં સરકારીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ સર્વ તથા મુખ્ય સેવિકાઓ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition – અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ…

Read More

નવનિયુક્ત બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયતનો સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારમાં નવનિયુક્ત બીજ અધિકારી અને પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયતનો સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો. નવનિયુક્ત 34 બીજ અધિકારી અને 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. નવનિયુક્ત અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના ‘વિકસિત ભારત’ના વિઝનમાં સહભાગી થવા મંત્રીએ આહવાન કર્યું. વધુમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ કહ્યું કે, કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નહીં, પરંતુ અન્નદાતા અને મૂંગા પશુઓની સેવા કરવાની ઉત્તમ તક છે: કૃષિ મંત્રી…

Read More

કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ સહિત પ્રશ્નો સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિતે ફેબ્રુઆરી માસમાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યકમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.  આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩ અરજદારો દ્વારા ૩ પ્રશ્નોની અરજી કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન આ તમામ ૩ અરજીઓના અરજદારોએ પોતાના પ્રશ્નો કલેકટર સમક્ષ રજુ કર્યા હતા. જેમાં ફતેપુરા તાલુકાના નાની રેલ પૂર્વ…

Read More