સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ,  સુરત,

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના માન. અધિકારી કે. કે દીક્ષિતભાઈ તેમજ પ્રદેશ પ્રભારી ગુજરાતના પ્રવીણભાઈ સોલંકી દ્વારા ઉત્તર પ્રદેશ હમીરપુર જિલ્લાની વિકલાંગ બહેન આરતી સિંગ સાથે થયેલ અન્યાય અને માનસિક ત્રાસ સાથે નોકરીમાંથી જાણ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા, માટે આ બેન ને ન્યાય મળે તે બદલ ભારતના વિકલાંગો એકજૂથ થઇ દરેક જિલ્લાના કલેકટરને આવેદન પત્ર આપીને બેન ને ન્યાય મળી રહે તેવી માંગ કરી. તેમાં સુરતના વિકલાંગ પાર્ટીના પદાધિકારીઓ માં મનહરભાઈ, બાબુભાઇ, હિનાબેન ભટ્ટ, રેખાબેન, સંદીપભાઈ વગેરે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર : નજમીન શેખ , સુરત

Related posts

Leave a Comment