થરાદ ખાતે ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ થરાદ વિભાગ દ્વારા નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી સન્માન કાર્યક્રમ

થરાદ,

થરાદ ખાતે ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ-થરાદવિભાગ દ્વારા નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શ્રીમતી જાનકીબેન ઓઝા તથા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતનો સન્માન કાર્યક્રમ જાગેસ્વર મંદિર માં રાખવામાં આવેલ. જે સમાજના વડીલો તેમજ યુવાનોની હાજરી ખૂબ જ સરસ રહી. ૪૨ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ-થરાદનો સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કરે છે. આ રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો પરિણામ ચોક્કસ સારું આવશે જ. એવા પ્રમુખ અને ઉપપ્રમુખે
શ્રીમાળી ૪૨ ગામ બ્રાહ્મણ સમાજના વડીલો ના આશીર્વાદ લીધા હતા અને આ કાર્યક્રમમાં સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાને લઇ ને રાખવા મોં આવ્યો હતો.

રિપોર્ટર  : રજની કાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment