દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ ઘટક-૪ આવેલ ખોડવા આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, દાહોદ

       દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ તાલુકાના ઘટક-૪ માં આવેલા બોરવાણી સેજાના ખોડવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, ગ્રામજનો સહિત સી.ડી.પી.ઓ રીતાબેન,મુખ્યસેવિકા નિલમબેન ,પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર સહિત આંગણવાડી કાર્યક્રર બહેન તેડાઘર બહેન અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment