જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા મળી રહે અને મૂળભૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (વીબી-જી રામજી) કાયદો અમલમાં આવેલો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના વધુ સારા અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી.

વીબી-જી રામજીની મુખ્ય વિશિષ્ટતાઓ

-૧૨૫ દિવસ રોજગારની ગેરંટી ; ગ્રામીણ સમુદાય માટે મહત્વનો ફેરફાર

-બેરોજગારી ભથ્થા માટે યોગ્ય જોગવાઈ ; રોજગારનો અધિકાર સાચા અર્થમાં મૂર્તિમંત

-ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના (VGPP) ; ગ્રામજનોની ભાગીદારી

-વિકસિત ગ્રામ પંચાયત યોજનામાં તમામ યોજનાઓનું સંકલન

-ટેક્નોલોજી દ્વારા સશક્તિકરણ અને મજબૂતીકરણ

-સમયસર વેતનની ચૂકવણી અને વિલંબ માટે વળતર ; પારદર્શિતા વધશે અને કામદારોને સંપૂર્ણ હક મળશે.

Related posts

Leave a Comment