હિન્દ ન્યુઝ, કાલાવડ
સર્વે હરિભક્તો દ્વારા આયોજિત સર્વ પિતૃના મોક્ષાર્થે “શ્રીમદ્ ભાગવત કથા” નું ભવ્ય આયોજન જામનગર જીલ્લા નાં કાલાવડમાં કૃષ્ણ નગર, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે તા. ૦૮-૦૧-૨૦૨૬ થી તા. ૧૪-૦૧-૨૦૨૬, બપોરે ૨:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી “શ્રીમદ ભાગવત કથા” નાં વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા પ.પૂ. શ્રી કેપી બાપુ બીરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે.
ભકિત-મુકિત પ્રદાન કરનાર, સર્વ પિતૃઓનો ઉદ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં આપ સૌ સહ પરિવાર સહિત પધારી કથા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરી આપણું તથા આપણા કુળનું કલ્યાણ સાધવા હાર્દિક આમંત્રણ છે.










