હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ. અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર, અમદાવાદ-ઉદેપુર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી.
નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા અને સુગમ રોડ કનેક્ટિવિટીને પ્રાથમિકતા આપવા માટે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ તથા ઇજારદારોને નિર્દેશ આપ્યો અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા તથા નાગરિકોની સુવિધા – સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે ₹20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી.
