વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન

હિન્દ ન્યુઝ, વલસાડ

    વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ બે કૃષિ રથ દરરોજ છ ગામમાં એમ ૧૫ દિવસમાં ૯૦ ગામમાં ફરીને ખેડૂતો સાથે સંપર્ક કરશે. આ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.

    હાલની પરિસ્થિતિમાં ટકાઉ ખેતી કેવી રીતે કરવી તે સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ખેતી વિભાગ સાથે સંકળાયેલા તમામ વિભાગો સંકલન કરી કાર્યક્રમને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચતો કરાશે. આ કાર્યક્રમ દરમિયાન આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીની પણ સ્થળ પર માહિતી આપવામાં આવશે. 

Related posts

Leave a Comment