હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી.

અમદાવાદ શહેર પોલીસની ઝુંબેશ દ્વારા તબક્કાવાર આજદિન સુધી કુલ 210 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડીટેઈન કરવામાં આવેલ છે.
ત્યારબાદ, ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ અધિકારીઓ સાથે આગામી કામગીરી અંગે બેઠક કરવામાં આવી.
