હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજના માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા:૧૨-૦૩-૨૦૨૪ થી ૧૧-૦૫-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામા આવેલ હતું.જેમા જે અરજદારોએ ઓનલાઇન અરજી કરેલ હોઈ તેઓએ જરૂરી સાધનીક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અનું.જાતિ ના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે તા.૩૦.૦૬.૨૪ પહેલા તાત્કાલીક પહોચતી કરવાની રહેશે.
Advt.