બાગાયત વિભાગની વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો તા.૩૦ જૂન પહેલા રજૂ કરવાના રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજના માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા:૧૨-૦૩-૨૦૨૪ થી ૧૧-૦૫-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામા આવેલ હતું.જેમા જે અરજદારોએ ઓનલાઇન અરજી કરેલ હોઈ તેઓએ જરૂરી સાધનીક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અનું.જાતિ ના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે તા.૩૦.૦૬.૨૪ પહેલા તાત્કાલીક પહોચતી કરવાની રહેશે.


Advt.

Related posts

Leave a Comment