૯મીએ આટકોટના નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, જસદણ

    આટકોટ ના પ્રતાપપૂર નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન દ્વારા સમાજનું સમાજને લોકાર્પણ ભુદેવ ચેરીટેબલ ટ્રષ્ટ સંચાલિત અત્રે આયોજન કરવામાં આવી રહ્યું છે.બ્રહ્મર્ષિ સંસ્થાન એ ભારતીય સંસ્કૃતિ ની આગવી શિક્ષણની પરંપરા એટલે કે ગુસ્કુળ પરંપરા આપણી ઋષિ પરંપરા જે સ્થાપિત કરેલ જેમને જીવંત રાખવા ભગીરથ કાર્ય ભુદેવ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા થઈ રહ્યું છે.જેમનો જીવન મંત્ર રહો આપણી સંસ્કૃતિ આપણી ઓળખ આપણું સંસ્કૃત જે જીવંત રાખવા ઋિષ પરંપરા મુજબ યજ્ઞ શાળા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સહિત અથર્વવેદ સહિતા એવમ વેદના પાઠ વેદની ત્રષા થકી વૈદિક શિક્ષણ ના પાઠો ભણાવાશે બ્રહ્મ શિક્ષણ સંસ્કૃત શિક્ષણ તથા આપણા સદગ્રથ ના શિક્ષણ ના નિચોડ સાથે વેદના અભ્યાસુ શાસ્ત્રીઓ દ્વારા શીખવવામાં આવશે. આટકોટ ના નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ તારીખ ૯-૬ ને રવિવાર ના રોજ લોકાર્પણ ઉત્સવ ઉજવાશે જે ભગીરથ કાર્યમાં સહભાગી થવા સમારંભ માં અધ્યક્ષ મુકતાનંદબાપુ ચાંપરડા પંચ અગ્નિ અખાડા સભાપતિ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ તથા પૂર્વ કે બિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા,કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળીયા, કુબેરભાઈ ડીંડોર, અતિથિ વિશેષ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા સંસ્થાના આધાર સ્થભ એવા રાજુભાઈ રાવલ રાજકોટ વિશેષ રમેશદાદા ઠાકર અમરેલી મુખ્ય મહેમાનો અમિતભાઈ ઠાકર સેજલબેન પંડયા,કૌશિકભાઈ વેકરિયા અનિરુદ્ધભાઈ દવે વિભારવીબેન દવે, ભરતભાઈ બોધરા નીતિનભાઈ ભારદ્વાજ, ધવલભાઈ દવે ઉપસ્થિત રહેશે. તેમજ સંતો શુભ આશિષ ગોંડલ ભુવનેશ્વરી પીઠ ધનશ્યાસજી મહારાજ, સીતારામબાપુ આધેવાડા, આત્માનંદ સરસ્વતીજી બોટાદ, જયંતીરામબાપા ઘુનડા, ચૈતન્ય શંભુ મહારાજ અમદાવાદ, ભક્તિ સ્વામી ખીરસરા બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિજયભાઈ બુજડ દ્વારકા, અનિલભાઈ મહેતા પંકજભાઈ ચાંવ જસદણ, છેલભાઈ જોષી સંસ્થાના આધાર એવા ટી.ડી.પટેલ મોરબી, રમેશભાઈ ત્રિવેદી, મુંમ્બાદેવી મુંબઈ, બાંકિંમભાઈ મહેતા,રાજગોર બ્રાહ્મણ ટ્રષ્ટ સૌરાષ્ટ્ર કચ્છ,ધર્મેન્દ્રભાઈ કષ્ટભંજન દેવના પૂજારી, અજયભાઈ શુક્લ,પ્રભાતભાઈ કોઠીવાળ, અંશ ભારદ્વાજ, કિરીટસિંહ જયમાતાજી ગ્રૂપ પોરબંદર, શૈલેશભાઈ પંડયા પી.આઈ અમદાવાદ તથા ઉભડા પબ્લિસિટી અમરેલી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આ તકે પ્રકાશભાઈ મોઢા ગોકુલ હોસ્પિટલ, જગદીશભાઈ આચાર્ય એડવોકેટ, ઉદયનભાઈ ત્રિવેદી એડવોકેટ, કિશોરભાઈ ઓઝા સામાજિક અગ્રણી હેમાંગ વસાવડા મધુરમ હોસ્પિટલ, કૌશિકભાઈ આચાર્ય એડવોકેટ, આશીષભાઈ ભટ્ટ શાસ્ત્રી તથા ચેતનભાઈ પંચોલી દ્વારા આમંત્રણ પાઠવમાં આવ્યુ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ


Advt.

Related posts

Leave a Comment