નોકરી કરતાં દરેક વ્યક્તિની મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪, તા.૦૭/૦૫/૨૦૨, મંગળવારના રોજ જે-તે મતવિભાગમાં યોજાનાર છે. ત્યારે જે-તે વિસ્તારની દુકાન કે સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ટ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ આપવાની અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫-બી ની જોગવાઈ વિરૂદ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.

 

 

 

Related posts

Leave a Comment