IIT BOMBAY દ્વારા લેવાનાર GATE પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

IIT BOMBAY દ્વારા Graduate Test in Engineering (GATE) પરીક્ષાનાં પરીક્ષાર્થીઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૩-૪/૦૨/૨૦૨૪ તથા તા.૧૦-૧૧/૦૨/૨૦૨૪ નાં રોજ જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, સર્વે નં.૩૦, ઇસ્કોન ઇલેવન પાસે, સિદસર રોડ, ભાવનગર ખાતે યોજાનાર છે.

ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.

આ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનનાં ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબનાં પરીક્ષા કેન્દ્ર ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્ર જાહેર થશે તો તેને પણ આ જાહેરનામુ લાગુ પડશે.

ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

 

 

 

 

Related posts

Leave a Comment