અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભાવનગર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભાવનગર સિદસર રોડ સ્વસ્તિક પાર્ક-૨, બાપાની મઢુલી વાળા કોમન પ્લોટમાં સવારે 8.00 કલાકે હવન કરવામાં આવ્યું ત્યારબાદ બપોરે 12:30 કલાકે શ્રીફળ હોમવાનો અને સાંજે 7:00 કલાકે મહા આરતી કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં આજુ બાજુનાં સ્થાનીકોએ લાભ લીધો હતો. આરતી પુર્ણ થયા બાદ પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ રાત્રે રામદરબાર આયોજન કરવામાં આવ્યું.

આ સમગ્ર કાર્યક્રમ નાં આયોજક શ્રી બાપા સીતારામ ગ્રુપ, જયેશભાઈ ભટ્ટ, જોરસંગભાઈ પરમાર, ભરતભાઈ રાઠોડ, રણજીતભાઈ ગોહિલ, ઠાકરશીભાઈ રાઠોડ, અનિલભાઈ જાની, સહદેવસિંહ ગોહિલ, જયપાલસિંહ રાયજાદા, લાલાભાઇ રામાનંદી, રમેશભાઈ ભાલીયા દ્વારા કાર્યક્રમ સફળ રીતે પરિપૂર્ણ થયેલ.

રિપોર્ટર : લાલજી ઢાપા, ભાવનગર

Related posts

Leave a Comment