હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા સાવગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તા.28 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર બી. એ. શાહે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ કાર્યક્રમમાં કુલ 21 પ્રશ્નો પૈકી 11 રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક તેમજ બે રજુઆતોનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.