સ્વાગત કાર્યક્રમના માધ્યમથી વર્ષોથી અટકેલી સ્કોલરશીપની રકમ પાર્થને ફરી મળતી થઈ

હિન્દ ન્યુઝ, જામનગર

      સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવે છે.નાના મોટા પ્રશ્નો માટે નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ જવાની જરૂર રહેતી નથી. જેનું તાજેતરનું જ ઉદાહરણ જામનગરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાર્થ પારધી છે.પાર્થની છેલ્લા અનેક વર્ષોથી સ્કોલરશીપની રકમ કોઈ કારણોસર જમા થઈ રહી નહોતી જેથી પાર્થે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી પોતાનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કર્યો હતો અને તેને સફળતા મળી હતી.

આ અંગે પાર્થ જણાવે છે કે મને છેલ્લા પાંચ વર્ષથી સ્કોલરશીપની રકમ મળી ન હતી જેથી મેં સ્વાગત કાર્યક્રમમાં આ અંગેની અરજી કરી હતી.અરજી કર્યા બાદ કલેક્ટર તથા અન્ય અધિકારીઓના માધ્યમથી હવે મારા ખાતામાં સ્કોલરશીપના પૈસા મળતા થયા છે અને મારા પ્રશ્નનું સુખદ નિરાકરણ આવેલ છે.મને મદદરુપ થવા બદલ આ તકે હું સર્વે અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

 

 

Related posts

Leave a Comment