જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ 

      ગુજરાત પોલીસ વિભાગની એક નવા અભિગમ પહેલના અનુસંધાને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાથી અને ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા ના માર્ગદર્શન સાથે જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી. જાની ના સહયોગથી જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એમ.સરવૈયા ના અઘ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણના શહેરના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, બિલ્ડર કુલદીપભાઈ પટગીર, સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ તેમજ ધીરુભાઈ છાયાણી, એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેમજ લઘુમતિ સમાજના સામાજિક અગ્રણી રફિકભાઈ રાવાણી, ઇલિયાસભાઈ લોહિયા, ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી તેમજ વિવિધ સમાજના રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો તેમજ વેપારી અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના શહેરીજનો હાજર રહેલ. આ શાંતિ સમિતિ મિટિંગમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.- આઈ.એમ. સરવૈયા એ માહિતી માર્ગદર્શન આપેલ અને જસદણ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે તેવું જણાવેલ અને આ શાંતિ સમિતિ મીટીંગની વ્યવસ્થા જસદણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી. રોજસરા દ્વારા કરવામાં આવેલ તેમ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment