જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ ની પ્રવેશ પરીક્ષા માટે તા. ૩૧ મે સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧ માં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ પરીક્ષાનું આયોજન તા. ૨૨/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. આ પરીક્ષા માટે ૦૧ જૂન ૨૦૦૬ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ દરમિયાન જન્મેલા તથા ભાવનગર જિલ્લાની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ પાસ કરેલ હોય અને જે વિદ્યાર્થીઓના માતા-પિતા માત્ર ભાવનગર જિલ્લામાં નિવાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓ www.navodaya.gov.in ઉપર ૩૧/૦૫/૨૦૨૩ સુધી વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. ઉમેદવારો તા. ૦૧/૦૬/૨૦૨૩ થી તા. ૦૨/૦૬/૨૦૨૩ સુધી પોતાની અરજીમાં સુધારો કરી શકે છે. પરીક્ષા અને નોંધણી સંબંધિત વધુ માહિતી માટે www.navodaya.gov.in વેબસાઇટ પર વિગતો આપેલ છે.

Related posts

Leave a Comment