ડો.આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી વિષે ફેલાયેલ ગેરસમજ ના સંદર્ભમાં એક અખબારી યાદી

હિન્દ ન્યુઝ, કાલાવડ

           આથી સમસ્ત દલિત સમાજ કાલાવડ શહેર/તાલુકા અને અન્ય દલિત સંગઠનો ને સવિનય સાથ હું સિધ્ધાર્થ શુકલ અમારા યુવા ગ્રુપ વતી જણાવવાનું કે અમો એ આગામી ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ના કાર્યક્રમ ના સંદર્ભમાં તા.૧૬/૩/૨૦૨૩ના રોજ સાંજે વિકાસ કોલોની કાલાવડ શહેર મુકામે એક મિટિંગ રાખેલ જેમા અમો અમારા યુવા ગ્રુપે કાલાવડ શહેર મુકામે બુદ્ધ પ્રતિમા અને ડો.આંબેડકર પ્રતિમા વિકાસની સ્થળે જન્મ જયંતિ દિન નિમિત્તે સુશોભન, ડેકોરેશન અને ઠંડાપીણા (સરબત) નો કાર્યક્રમ રાખવા નો નિર્ણય કરેલ છે. જેથી દર પ્રતિવર્ષ મુજબ યોજાતો ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ ના રેલી નો કાર્યક્રમ અમારા યુવા ગ્રુપે રાખેલ કે યોજેલ નથી જેથી સર્વેએ ખાસ નોંધ લેવા વિનંતી  : સિદ્ધાર્થ શુક્લ

 

Related posts

Leave a Comment