તળાજાના પીઠલપુર માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાં અંતર્ગત કુદરતી મૃત્યુમાં પરિવાર ને રૂપિયા બે લાખ અર્પણ કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી શ્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રીને જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના નું ભરેલ હતું આ પ્રીમિયમ આખા વર્ષ નું પ્રીમિયમ 436 છે તેમના પત્ની વારસદાર ભરવાડ હકુબેન ભોપાભાઇ ના એકાઉન્ટ માં વીમા ની રકમ જમાં થઈ ગઈ છે

એસ બી આઇ બેંક પીથલપુરના બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર અને જતીનભાઈ દવે દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે સરકાર ના પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધના મંત્રી સુરક્ષા વીમા યોજના અચૂક કરાવવા જોઈએ

Related posts

Leave a Comment