ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિ માં વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા રાધનપુર ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા નીફરજ ના ભાગરૂપે બદલી થતા વિદાય સમારંભ યોજાયો. ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિ માં સાથે સાથે રાધનપુર ખાતે આવેલ નવા ડીવાયએસપી ડી.ડી ચૌધરી ના સત્કાર સમારંભ સાથે સાથે રાધનપુર પોલીસ સ્ટેશને ના પી.આઈ તરીકે નવા નિમણૂક થયેલા સોનલબેન એફ.ચાવડા નો સત્કાર સમારંભ યોજાયો જેમાં રાધનપુર રામસેવા સમિતી અને સુરભી ગૌશાળા દ્વારા વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો. આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમજ રામસેવા સમિતી અને સુરભી ગૌશાળા ના ટ્રસ્ટીઓ ઊપસ્થિત રહ્યા. આ પ્રસંગે રાધનપુર નગરજનો ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજાયો જેમાં રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા ઉધોગપતિ પ્રફુલ્લ ભાઈ ઠક્કર,માર્કેટયાર્ડના ચેરમેન ડો કનુભાઈ પટેલ તેમજ પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અમથાભાઇ ચૌધરી, લોહાણા સમાજ ના પ્રમુખ આર.આર ઠક્કર, ડો. નવીન ઠક્કર, પપ્પુ માનસી, લાલાભાઈ લાટી, કેશુભા દરબાર અને દરબાર સમાજના આગેવાનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર સુરભી ગૌશાળા ખાતે વિદાય સમારંભ સાથે સાથે સત્કાર સમારંભ યોજાયો.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment