તલાટીઓ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી સી.બી.ભરવાડ ને ગામ પંચાયત કચેરી ખાતે કામમાં રૂપાવટી ધમકી આપવા બાબતની રાધનપુર તલાટી દ્વારા પોલીસ સ્ટેશન અને નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી. તલાટીની કામગીરીમાં રુકાવટ કરવા બદલ અને ધમકી આપવા બદલ તલાટી મંડળ એક મંચ ઉપર 47 ગ્રામ પંચાયતના 24 તલાટીઓ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી. તલાટીઓને ખોટી રીતે હેરાન કરશો તો તલાટીઓ નહીં ચલાવી લે તલાટી મંડળ એક જૂથ થઇ તલાટીઓ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Related posts

Leave a Comment