યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસના “સેવા પખવાડિયું” અંતર્ગત જૂનાગઢ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા Run For Development મેરેથોન યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

આપણા યશસ્વી પ્રધાન સેવક માન. નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે જુનાગઢ યુવા મોરચા દ્વારા સાત દિવસ માટે સેવા પખવાડિયાની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે છ વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૫ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના વડીલો એ ભાગ લીધો હતો જ્યારે આ વડીલો મેરેથોન માટે દોડ લગાવી તે જોઈ યુવાનોમાં પણ ઉર્જા જોવા મળી હતી.

ચાલ રાઉન્ડમાં આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક થી ત્રણ નંબર ને પ્રોસાન રૂપે ઇનામ અને સિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. આ રન ફોર ડેવલપમેન્ટ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું તેવું જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે યુવા મોરચાના મનનભાઈ અભાણી અને તેની સમગ્ર ટીમને ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા અને પ્રભારી ૮૯ માંગરોળ વિધાનસભા સીટ, સંયોજક કાર્યક્રમ અને બેઠક વિભાગ ગુજરાત પ્રદેશ ભાજપા, ડિરેક્ટર નેહરુ યુવા કેન્દ્ર ના ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ ગુજરાત રાજ્ય ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ હાર્દિકસિંહ ડોડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment