શેરપુરા નજીક અન્ય બસ ની અડફેટે સ્થનિક બસ ચાલક વુધ્ધ નું મોત વિફરેલા ટોળા એ બસ માં આગ ચાંપી

હિન્દ ન્યુઝ, ભરૂચ

શેરપુરા નજીક 2 લકઝરી વૃદ્ધનુ મોત થતા લોકો વિફર્યા બનાવના પગલે લોકો માં મચી હતી ભારે અફરાતફરી

ભરૂચ ના શેરપુરા નજીક એક લકઝરી બસ ચાલક બસ માંથી ઉતરી ઘરે જવા જતા સામેથી પૂર ઝડપે આવતી અન્ય લકઝરી બસ ની અડફેટે આવી જતા અકસ્માતે જીવ ગુમાવવાનો વારો શેરપુરા નજીક 2 લકઝરી બસ માં લોકો એ આગ ચાંપી બસ ની અડફેટે સ્થનિક વૃદ્ધ નું મોત થતા લોકો વિફર્યા બનાવના પગલે લોકો માં મચી હતી ભારે અફરાતફરી આવતા ઉસકારાયેલા સ્થાનિકો એ અકસ્માત સર્જનાર બસ માં ટોડ ફોડ કરી 2 લકઝરી બસ સળગાવતા અફરતફરી નાચી હતી. મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવે પર ચાલી રહેલા કામ માં માણસો ને લાવવા લઇ જવા નો કોન્ટ્રાકર લક્ષ્મી ટ્રાવેલ્સ ને મળ્યો હતો જેમાં બસ નં GJ-03AV-9810 ના ચાલક તરીકે શેરપુરા ના કોકલ ફળીયા માં રહેતા આશરે 65 વર્ષીય ઇસ્માઇલ આદમ મંચવાળા નોકરી કરતા હતા જેઓ ગત રોજ મોડી સાંજે 8:30 કલાક ની આસપાસ પોતાની બસ ના પેસેન્જરો ને ઉતારી શ્રવણ ચોકડી તરફ થી પરત આવતા પોતાની ની બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી બસ નો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સામે દહેજ તરફ થી જમાદાર ટ્રાવેલ્સ ની બિરલા કોપર ની સીફ્ટ લઇ પુરઝડપે આવતી બસ નં GJ-01-9367 ના ચાલકે ઇસ્માઇલ ભાઈ ને અડફેટે લેતા તેમનું ઘટના સ્થરે જ નું કરૂણ મોત નીપજ્યું હતું.

 અકસ્માત થતા જ સ્થાનિકો ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લકઝરી બસ ના ચાલક ને આંતરી બસ ને થોભાવિ દીધી હતી ગામના જ વયસ્ક ના મોત ના પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસ માં તોડફોડ કરી સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપની ની બિરલા કોપર ની બસ ને આગ ચાંપી હતી જોત જોત માં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસમયે શેરપુરા રોડ ઉપર અફરતફરી નો માહોલ સર્જાયો હતો શેરપુરા નજીક બસ સળગાવી હોવાની જાણ થતા જ પોલીસ કાફલા સહીત ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભારે જહેમત સાથે પોલીસ પરીસ્તીથી પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા પોલીસે મામલો ઠરે પાડવાની સાથે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : ખાલિદ શેખ ભરૂચ

Related posts

Leave a Comment