કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ તાલુકાના પાંચ ગ્રામીણ તેમજ એક શહેરી વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

         જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ-૩ (ત્રણ) ઘર તા. ૨૭/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં બેંક ઓફ બરોડાવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ-૪ (ચાર) ઘર ૨૭/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઈન્દ્રાધામ સોસાયટીમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં. ૧૧ સુધી, એમ કુલ -૧૧ (અગિયાર) ઘર તા.૨૮/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં પટેલ સમાજવાડી પાસે આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ-૩ (ત્રણ) ઘર તા. ૩૦/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના નારાણપર પસાયતી ગામે બાલા હનુમાનજી પાસે અવાડા વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૫ સુધી, એમ કુલ-૫ (પાંચ) ઘર તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.૧૦/એ, ૧૦/બી તેમજ ઘર નં.૧૧/એ, એમ કુલ -૩ (ત્રણ) ઘર તા. ૦૧/૦૧/૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.

Related posts

Leave a Comment